Wednesday, April 24, 2019

આપણા શિખરબંધ મંદિરો માં ઓટલો શા માટે ?

      આપણે ત્યાં શિખર બંધ મંદિરો માં ઓટલા હોય છે અને મંદિર માં દર્શન કર્યા પછી બહુધા લોકો એક પારમપારિક પ્રથા મુજબ મંદિર ના ઓટલા ઉપર થોડો સમય બેસે છે. 

      

     કાળક્રમે ભુલાતી જતી આપણી વેદિક સંસ્કૃતિ ની આ પરમપરા ની વિશેષ જાણકારી મેળવીને ચાલો આપણે સૌ હવે તેને પુનઃ પ્રસ્થાપિત કરવા કટિબદ્ધ થઈએ. 

      

      હકીકત માં ઓટલે બેસીને એક શ્લોક બોલવાનો હોય છે. હમણાં ફક્ત ઓટલે બેસવાનું ચલણ ચાલી રહ્યું છે પણ હમણાં તે શ્લોક બોલતા નથી. અને તે શ્લોક કોઈએ આપણા સુધી પોંહચાડયો નથી.


🌸 ત્યાં બેસીને બોલવાનો શ્લોક🌸


☆ “અનાયાસેન મરણમ ☆

 

☆ વિના દૈન્યેન જીવનમ ☆

   

☆ દેહન્તે તવ સાનિધ્યમ ☆

   

☆ દેહિમે પરમેશ્વરમ” ☆


મંદિર માં જાવો ત્યારે ...


- તમારે દર્શન કરવાના હતા, દર્શન ખુલ્લી આંખોથી કરાય, માણસો ત્યાં મન મૂકીને હાથ જોડીને ઉભા રહે. 


- જયારે કોઈ આંખ બંધ કરીને હાથ જોડે છે તો તમે અજાણ્યા ને પણ કહો કે -


- તમે દર્શન કરવા આવ્યા છે તો આંખ ખુલ્લી રાખોને.


- આંખ ખુલ્લી રાખીને હાથ જોડીને દર્શન કરો 


- બરોબર દર્શન કરીને મૂર્તિ ને હૃદય માં ઉતારી યાદ કરી લો.


* દર્શન થઇ ગયા પછી ...


- જયારે ઓટલે બેસો તો યાદ કરેલ દર્શનને ધ્યાનમાં લાવો.


- ત્યારે આંખ બંધ કરો.


- ધ્યાન કરો જે દર્શન કરેલ છે -તે દેખાય છે કે નથી દેખાતું ?


- નાં દેખાય તો પાછા દર્શન કરવા ચાલ્યા જાઓ.


- પાછું ઓટલે બેસીને આંખ બંધ કરી ધ્યાનમાં બેસી જાવ. 


- અને જયારે ધ્યાનમાં એ દર્શન આવે ત્યારે ભગવાન પાસે માંગો કે..


*” હે, ભગવાન..💐👏


" અનાયાસેન મરણમ "🌸

એટલે મને તકલીફ વગરનું મરણ આપજો. 


" વિના દૈન્યેન જીવનમ "🌸

એટલે પરવશતા વગરનું જીવન આપજો  

- આજે મને કોઈ પડખું ફેરવે ત્યારે હું પડખું ફેરવી શકું..

- મને કઈ લકવો મારી જાય 

અથવા 

- મને કોઈ ખાવાનું ખવડાવે ત્યારે ખાઈ શકું 

- એવું જીવન નાં જોઈએ ભગવાન, 



" દેહાન્તે તવ સાનિધ્યમ "🌸

એટલે મરતા હોય ત્યારે તમારું દર્શન થવું જોઈએ

- જેમ ભીષ્મ ને થયેલું તેમ. 

આ ત્રણ વસ્તુ મને આપો 

- આ માંગણી નથી

- આ યાચના નથી

-  આ પ્રાર્થના છે.

 પ્ર + અર્થના" ,  અર્થના એટલે માંગણી યાચના 

- પણ પ્ર એટલે પ્રકૃષ્ટ

- આ પ્રકૃષ્ટઅર્થના છે. 


- અને આ વાડી, ગાડી, દીકરો, દીકરી, પતિ, પત્ની, ઘર, પૈસા આવું કઈ નથી માગ્યું ..


- પણ આ ત્રણ શ્રેષ્ઠ માંગણી કરી છે.


આ આપણે મંદિરમાં દર્શન કરીએ પછી ઓટલે બેસી ને પછી બોલવાનું. 

- ફક્ત બેસી રહેવાનું નથી. 

એટલા માટે મંદિરમાં જવાનું અગત્યનું છે 


- જેથી આપણે પાછા આવતા સમયે ભગવાન પાસે આવી *પ્રાર્થના કરી શકીએ.!🙏

No comments:

Post a Comment