Thursday, June 28, 2018

સંચળનું પાણી - SOUL WATER

દરરોજ પીઓ સંચળનું પાણી, શરીર પર થશે આ 15 ફાયદા જેના કારણે તેને soul water પણ કહે છે

 સંચળ કુદરતી મીઠું છે, જેમાં લગભગ 80 ફાયદાકારક તત્વો છે. તેથી પ્રાચીન સમય માં કેટલીક ઔષધિઓ બનાવવામાં તેનો ઉપયોગ થતો રહ્યો છે. સ્વસ્થ રહેવા માટે તમે દરરોજ સવારે સંચળનું પાણી પી શકો છો.

આ પીણું મોટાપણું, અપચો જેવી કેટલીક સ્વાસ્થ્ય ને લગતી સમસ્યાઓ થી તમને બચાવશે. સંચળના પાણી ના અનેક ફાયદાના કારણે તેને soul water નું નામ પણ અપાયું છે.

1. મજબૂત મસલ્સ – સંચળ શરીરને પોટેશિયમ નબળું કરવામાં મદદ કરે છે તેનાથી મસલ્સ મજબૂત થાય છે અને માણસ ની તકલીફ દૂર થાય છે.

2. વજન ઘટશે- સંચળનું પાણી શરીરમાં ચરબી ઘટાડવામાં ખુબ મદદ કરે છે દરરોજ તેને પીવાથી મોટાપણું દૂર થશે.

3. પાચનક્રિયા સુધરશે- સંચળ પેટની અંદર હાઈડ્રોક્લોરીક એસિડ અને પ્રોટીન પચાવવા વાળા એન્ઝાઇમ એકટીવ કરે છે તેનાથી પાચનક્રિયા સુધરે છે.

4. સ્વસ્થ ચામડી- સંચળ માં રહેલા સલ્ફર સિંહ જેવા ન્યુ ટ્રેન ન્યુ ફ્રેન્ડ્ઝ પોષકતત્વો અને ડ્રાય સ્કિન ની સમસ્યા દૂર કરે છે. પાણી પીવાથી ચામડી સ્વસ્થ થશે અને તેજ વધશે.

5. મજબૂત હાડકાં- સંચળમાં રહેલા તત્વો હાડકાઓને મજબૂત બનાવે છે.

6. ગેસ અને કબજિયાત- સંચળમાં રહેલા સોડિયમ ક્લોરાઇડ, આયર્ન ઓક્સાઇડ, પેટમાં બનતા ગેસ ની તકલીફ દૂર કરે છે. આ પાણી પીવાથી જમ્યા બાદ પેટ ભારે ભારે લાગવાની તકલીફ દૂર થાય છે.

7. પેટ ફુલશે નહિ- સંચળનું પાણી પીવાથી પેટ ફૂલવું અને ખાવાનું ખાધા બાદ પેટ ભારે ભારે લાગવાની તકલીફ દૂર થાય છે.

8. આંખોનું તેજ- નિયમિત સંચળનું પાણી પીવાથી આંખોનું તેજ વધારવામાં મદદ મળશે.

9. ઘટ્ટ વાળ- સંચળ માં રહેલા તત્વો વાળનો વિકાસ માં મદદરૂપ થાય છે રોજ તેનું પાણી પીવાથી વાળ મૂળમાંથી ખરશે નહિ અને ખોડો દૂર થશે.

10. સ્વસ્થ હૃદય- સંચળ કોલેસ્ટેરોલ નિયંત્રિત કરવામાં મદદ કરે છે રોજ તેનું પાણી પીવાથી હૃદયની બીમારી નું સંકટ ટળશે.

11. ડાયાબિટીસ- સંચળ ઈન્સુલિન નું સ્તર નિયંત્રિત કરે છે તેનાથી ડાયાબિટીસ નિયંત્રિત

 થાય છે અને ડાયાબિટીસ નું સંકટ ટળે છે.

12. સારી ઊંઘ- સંચળ માં રહેલા તત્વો શરીરમાં સ્ટ્રેસ હોર્મોન્સ નિયંત્રિત કરે છે તેનાથી રાત્રે ઊંઘ ન આવવાની સમસ્યા દૂર થાય છે.

13. ગળાની ખારાશ- સંચળ નું પાણી પીવાથી ગળાની ખરાશ અને ગળા ના દર્દ ની તકલીફ દૂર થાય છે.

14. લોહીની ઉણપ- સંચળ માં ભરપૂર આયર્ન હોય છે તેનું પાણી પીવાથી એનિમિયા લોહીની ઉણપ ની તકલીફ દૂર થશે.

15. રોગ થી બચાવશે- સંચળ નું પાણી શરીર માં રહેલા હાનિકારક બેક્ટેરિયા નો નાશ કરે છે રોજ તેનું પાણી પીવાથી કેટલીક સ્વાસ્થ્યની તકલીફ નું સંકટ ટળે છે.    

                                    ⛑Dr. Mahendra Bheda⛑ 

       Nutrition Specialist & Consultant... Mumbai..8779630988..


આપને મળેલ લીંક ને ફોરવર્ડ કરી આ પોસ્ટ બીજા ગ્રુપ મેમ્બર સાથે શેર કરી શકો છો 


No comments:

Post a Comment